જામનગરના પાટીદાર યુવા ગ્રુપે અમરેલીની પાટીદાર યુવતીને જેલમાં રાખવા બાબતે મુખ્યમંત્રીને આવેદન પાઠવી ન્યાયની માગણી કરી

જામનગર મોર્નિંગ - જામનગર 

અમરેલીમાં થયેલા લેટરકાંડમાં એક પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં ધકેલી દેવામાં આવી છે, તેવી ઘટના સામે પટેલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જામનગર પટેલ યુવા ગ્રુપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પાઠવીને નિર્દોષ યુવતીને ન્યાય આપવાની માગણી કરી છે. 

અમરેલી  સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચેના ઝઘડામાં એક પાટીદાર સમાજની યુવતીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે. આ યુવતી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી અને તેના માલિકના કહેવાથી તેણે એક લેટર ટાઈપ કર્યો હતો. આ લેટરકાંડમાં આ યુવતીનો કોઈ વાંક ન હોવા છતાં પોલીસે રાત્રે ૧૨ વાગ્યે તેણિની ધરપકડ કરી અને જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું. 

પટેલ યુવા ગ્રુપે આવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમરેલી જીલ્લામાં સ્થાનિક લેવલે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર ડખાના કારણે પાર્ટીમાં લેટર કાંડ થયેલ છે. જે પૈકી પાટીદાર સમાજની એક દીકરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, જેમણે પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપિંગનું કામ કરતી હોય આ ઘટનામાં પણ તેમના માલિકના કહેવા પ્રમણે તેમણે લેટર ટાઈપ કરેલ હોય, જેમાં આ દીકરીનો ઇરાદો કોઈને બદનામ કરવાનો ન હતો.

આ બાબતની જાણ ભાજપ ના રાજકીય આગેવાનોને હોવા છતાં આ નિર્દોષ દીકરીને લેટર કાંડમાં ખોટીરીતે આરોપી બનવી અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે કાયદાથી વિરુદ્ધ જઈને પોલીસે ધરપકડ કરી અમરેલી શહેરમાં દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને રાજકીય નેતાઓ અને પોલીસ પોતાનો અહમ સંતોષી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

જયારે બીજી તરફ રાજ્યમાં અનેક ગંભીર ગુનાહિત કૃત્યો કરનારા ગુનેગારો ખૂલ્લે આમ ફરી રહ્યા છે, આવા ગુનેગારોને પકડીને કાયદાનો પાઠ ભણાવવાને બદલે આ નિર્દોષ દીકરી ઉપર આવો અત્યાચાર શા માટે...? બંધારણની જોગવાઈ અને કાયદા મુજબ જ્યારે એક મહિલા આરોપી હોય ત્યારે તેમની ધરપકડ રાત્રિના સમયે ના કરવી જોઈએ, આરોપી મહિલા હોય તો તેમના ફોટા અને વિડીયો વાઇરલ ન કરવા જોઈએ તેમજ તેમની ઉપર લાગેલા આરોપ જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તેમની ઓળખાણ જાહેર ન કરવાની કાયદામાં જોગવાઈ છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી અમારી નીચે મુજબની માંગણી છે.

આ આખા કાંડમાં દીકરી નિર્દોષ છે,જેથી કરીને દીકરીનું નામ ફરિયાદ માથી દૂર કરવામાં આવે તેમજ દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તથા સત્વરે સ્વમાનભેર દીકરીને જેલ મુક્ત કરવામાં આવે, કાયદાથી વિરુદ્ધ જઈ પોતાની મરજી મુજબ મનમાંની કરી દીકરીનું જાહેરમાં સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય સિક્ષાત્મક પગલાં ભરવામાં આવ.વહેલી તકે ન્યાયિક તપાસ કરી દીકરી સ્વાભિમાન ભેર નિર્દોષ જાહેર થાય તે બાબતે વહેલમાં વહેલી તકે પગલાં ભરવા વિનંતી કરી છે.